Showing posts with label કટાક્ષ. Show all posts
Showing posts with label કટાક્ષ. Show all posts

4.12.08

જુઓને કેટલાં સહનશીલ !

ભારતમાં અવારનવાર થતા આતંકવાદી હુમલા સામે દેશના નેતાઓનુ કુણુ વલણ ખરેખર આશ્ચર્ય જગાડે છે, છેલ્લા થોડા દિવસોથી એવા ભણકારા થઇ રહ્યા છે કે આતંકવાદને નાથવા આપણા તરફથી કોઇ પગલા ભરાશે. ખૈર, એતો આવનાર સમય બતાવશે પરંતુ અત્યાર સુધી દેશમાં થયેલા હુમલા માટે ઉદાસીનતા દાખવનાર તમામને કૃષ્ણ દવેનો જોરદાર કટાક્ષ. 

શું ફેર પડે છે !

પાંચ, પચીસ, પચાસ કે પાંચસો !

આપણે તો એમનાં પેટનું પાણીયે નથી હલાવી શકતાં.
જુઓને કેટલાં સહનશીલ !


એમ કાંઈ અકળાઈ ના ઊઠે નાની નાની વાતોમાં, પેલાઓની જેમ -
તે ઢાળી દે બે ટાવરોનાં બદલામાં બે-ચાર દેશોને !!!

- કૃષ્ણ દવે