8.4.08

ધીરજ અને મધુશાલા એકજ માળાના મણકા...

હરિવંશરાય બચ્ચન, થોડા સમય પેહલા મારા માટે પણ મધુશાલાના રચયિતા થી વધારે કશુંજ ન હતા. એમની લખેલી મધુશાલાની પણ એકજ પંક્તી મનમાં ગુંજ્યા કરતી "મંદિર-મસ્જીદ સબકો લડાયે મેલ કરાયે મધુશાલા" ખુબ સરસ અથવા તો સાંજે 6:45 પછી મધુશાલાની વાટ પકડનાર લોકો "અલગ અલગ સબ પથ દિખલાતે પર મે યે દિખલાતા હું, રાહ પકડ તુ એક ચલાચલ પા જાયેગા મધુશાલા" એમની આ પંક્તીને બહાનું બનાવતા, બીજેથી તો પ્રોત્સાહન મળે તેમ નથી, કાંતો કોઈક હિન્દી સાહિત્ય પ્રેમી એમને માનભરી નજરથી દેખતો હશે અને વધુમાં અમિતાભ બચ્ચનના પિતા. બસ! ના ખુબજ સફળ વ્યક્તિત્વ, વિધ્વાન સાહિત્યકાર અને એનાથી વધારે એમના માટે કંઈ કેહવુ એટલે સુરજ ને દીવો ધરવા સમાન છે.
પરંતુ એમની સફળતા પાછળનું કારણ? માત્ર ધીરજ અને સંઘર્ષ. હરિવંશરાય બચ્ચન દરરોજ સવારે ચાલવા જાય, એમને અલગ અલગ શિલ્પ(પથ્થર)ભેગા કરવાનો ખુબ શોખ માટે શોખ પોષવા એ દરરોજ અલગ અલગ આકાર-રંગના શિલ્પ ઘરે લઈ આવે અને આજના સુપર સ્ટાર અને બીગ-બીના નામથી પ્રચલીત એવા એમના દિકરાને જગાડી એને નવા શિલ્પથી પરિચિત કરાવે. અમિતાભ બચ્ચનની સવારનો સુરજ આવી જ રીતે ઉગતો. પરંતુ એક સવારે અમિતાભ બચ્ચનને જગાડતા હરિવંશરાય બચ્ચનના હાથ ખાલી હતા, અમિતાભની ધીરજ જવાબ માંગવા માંડી, આજે કેમ પિતા ખાલી હાથે? હરિવંશરાય બચ્ચને પુત્ર ને કહ્યુ બેટા મદદ માટે બહાર આવને, બહાર જઈ જોતા એક વિશાળ શિલ્પ ઘર પાસે પડ્યુ હતુ. શિલ્પ એટલુ મોટુ હતુ કે એને અંદર લાવવા માટે ચાર માણસની જરૂર પડે એમ હતુ, અમિતાભે કહ્યુ અંદર લઈ જવા તો હું મદદ કરું પણ અહીયાં સુધી લાવવામાં કોણે મદદ કરી? હરિવંશરાય નો જવાબ હતો મારી ધીરજે, હુ છેલ્લા એક વર્ષથી દરરોજ આ શિલ્પને થોડુ-થોડુ ખસેડી ઘર તરફ લાવવા પ્રયત્ન કરતો હતો, તો આજે અહિં લાવી શક્યો. ધીરજ સાથે કરેલો સંઘર્ષ જીવનમાં ચોક્કસ સફળતા અપાવે છે.

અમિતાભના જીવનમાં પણ ઘણા ચઢાવ ઉતાર આવ્યા પરંતુ સંયમ ગુમાવ્યા વિના ધીરજ સાથે કરેલા સંઘર્ષે આજે અમિતાભને સફળતાના શીખરે બેસાડ્યા છે, કદાચ અમિતાભની સફળતા પાછળ પણ જીવનના આવાજ આદર્શ કારણભુત હશે?

2 comments:

Anonymous said...

nice article...

but so many spelling mistake
we all ppl. here to learn
so telling u ....

Pinki Pathak (BRAHMBHATT)

Prabin Barot said...

પીન્કીજી
આપનો ખુબ આભાર,
પરંતુ ક્યાં ભુલ રહી જાય છે તે જણાવશો તો હું સુધારા કરી શકું..