4.12.08

જુઓને કેટલાં સહનશીલ !

ભારતમાં અવારનવાર થતા આતંકવાદી હુમલા સામે દેશના નેતાઓનુ કુણુ વલણ ખરેખર આશ્ચર્ય જગાડે છે, છેલ્લા થોડા દિવસોથી એવા ભણકારા થઇ રહ્યા છે કે આતંકવાદને નાથવા આપણા તરફથી કોઇ પગલા ભરાશે. ખૈર, એતો આવનાર સમય બતાવશે પરંતુ અત્યાર સુધી દેશમાં થયેલા હુમલા માટે ઉદાસીનતા દાખવનાર તમામને કૃષ્ણ દવેનો જોરદાર કટાક્ષ. 

શું ફેર પડે છે !

પાંચ, પચીસ, પચાસ કે પાંચસો !

આપણે તો એમનાં પેટનું પાણીયે નથી હલાવી શકતાં.
જુઓને કેટલાં સહનશીલ !


એમ કાંઈ અકળાઈ ના ઊઠે નાની નાની વાતોમાં, પેલાઓની જેમ -
તે ઢાળી દે બે ટાવરોનાં બદલામાં બે-ચાર દેશોને !!!

- કૃષ્ણ દવે

3.12.08

અમેરિકાનો રાષ્ટ્રીય ધ્વજઃ Made in China

આવુતો કદાચ અમેરિકા જ કરી શકે. આપણે તો આને આપણા દેશનુ અપમાન જ કહિયે. હા, તમે તસ્વીરમાં જે જોઇ રહ્યા છો એ ખરેખર સાચુ છે. આ તસ્વીર દીલ્લીમાં આવેલ અમેરિકન ઇનફર્મેશન સેંટરની છે જ્યાં ૫ નવેમ્બરના રોજ ઓબામાંના વિજયનો આનંદ મનાવાતો હતો ત્યારે પોલીથીનના બનેલા, મેડ ઇન ચાઇના લખેલા અમેરિકાના સેંકડો ઝંડા (રાષ્ટ્ર ધ્વજ) ત્યાં લગાવ્યા હતાં. અને બધા પર મેડ ઇન ચાઇનાના આવાજ માર્કા લાગેલા હતા. પોતાના દેશના ઝંડા પણ બીજે બને છે એની પાછળનુ કારણ સ્પષ્ટ છે, અમેરિકાની પ્રદૂષણ નિયંત્રણ નીતી. આવાજ કારણો સર અમેરિકા જેવા વિકસીત દેશને લાગે છે કે આવા નાના-નાના કામો પાછળ પોતાની તાકાતા અને સમય ખર્ચ ના કરવો જોઇએ. કદાચ એટલેજ પોતાના દેશનુ સમ્માન ગણાતા રાષ્ટ્ર ધ્વજ પણ બીજા દેશ માંથી સસ્તામાં ઉઠાવી લીધા હશે. આવુ ન બને એટલે જ બાપુએ ખાદી પર જોર મુક્યું હશે.

30.11.08

આતંકવાદ અને રાજકારણીઓથી ભગવાન બચાવે.

આતંકવાદ પર રાજકારણ અને નાગરીકોની ઉદાસીનતા ક્યાં સુધી?

૨૬/૧૧ના રોજ બોમ્બે પર થયેલા હુમલાને માત્ર બોમ્બે પર હુમલો કહેવા કરતા આખા દેશ પરનો આતંકવાદી હુમલો કહેવું વધારે યોગ્ય લાગશે. દેશ આખાએ જ્યારે એક થવાનો સમય છે ત્યારે આપણા નેતાઓ છીછરુ રાજકારણ રમવામાંથી ઉંચા નથી આવતા. અમેરિકા, બ્રીટન, ઇઝરાઇલ, જર્મની જેવા દેશોએ પણ આંતંકવાદનો સામનો કર્યો છે પરંતુ ત્યાંના રાજકારણીઓ દ્વારા ક્યારેય આતંકવાદ પર રાજનિતિ નથી થઇ. આમતો ભારતની કમનસીબી જ સમજવી કે ભાજપ જેવો પક્ષ આપણા દેશમાં છે, ભાજપના તમામ નેતાઓને મન દેશ કરતા પોતાનું રાજકારણ, આતંકવાદી હુમલા કરતા વોટ બેંક અને જાંબાજ સૈનિકો કરતા સાધવી વધારે વ્હાલા છે.દેશ જ્યારે નાજુક પરિસ્થિતીમાંથી પસાર થતો હોઇ ત્યારે દેશના નેતાઓ દેશને એક તાંતણે બાંધવાને બદલે છીછરુ રાજકારણ રમે એ કેટલા અંશે ચલાવી લેવાય?

શહિદોને શ્રદ્ધાંજલી...

શાંત અને મૃદુ સ્વભાવ ધરાવતા અને જેના ચેહરા પર જ સજ્જનતા છલકાતી હતી અને છતા પણ બહાદુરી જેમની આદત હતી એવા એ.ટી.એસ પ્રમુખ હેમંત કરખરેએ આપણી સુરક્ષા માટે પોતાની જરાપણ ચીંતા કર્યા વગર જે શહાદત વ્હોરી છે એ માટે દેશ આખો એમને ક્યારેય ભુલી શકે એમ નથી હેમંત કરખરેની બેચના એક આઇ.પી.એસ જોડે જાંબાજની વાત થતા અધિકારી ભીંની આખે એટલુ બોલી અટકી જાય છે અમે એક સજ્જન મિત્ર અને દેશે એક જાબાજ અધિકારી ગુમાવ્યો. અને બોમ્બેના આસીસ્ટન્ટ પોલીસ કમીશ્નર અશોક આપ્ટે જેમણે પરીક્ષા ટાણે માંગવામાં આવાતી ત્રણ પસંદગીમાં તામામ પસંદગી આઇ.પી.એસ પર ઉતારી હતી. દેશના દુશ્મનો સામે લડવા માટે દ્રઢ નિશ્ચય કરી લીધો હતો, બોમ્બેના પહેલા ભારતીય પોલીસ કમિશ્નરના પૌત્રએ દાદાના આદર્શો પાડી દેશ માટે જાન ન્યોચ્છાવર કરી દીધી આ સાથે દેશ પર થયેલા આતંકવાદી હુમલામાં આપણી સુરક્ષા ખાતર પોતાના જીવનનું બલીદાન આપનાર તમામ શહીદોને દેશ સલામ કરે છે આવા જાંબાજોને દેશવાસીઓ ક્યારેય ભુલી શકે એમનથી.



એક તરફ આપણા જાંબાજ સૈનિકો દેશ માટે પોતાની જરાએ ચિંતા કર્યા વગર આતંકવાદીઓનો સામનો કરતા હતા ત્યારે આપણા દેશનાં કહેવાતા મહાન નેતાઓ રાજકારણ કરી પોતાની મહાનતામાં વધારો કરતા હોઇ એમ સમજી રાજરમતો રમવામાં વ્યસ્ત હતા. મહારાષ્ટ્રનાં મુખ્ય મંત્રી વિલાસરાવ દેશમુખની વિનંતી સ્વીકરી ભારતનાં વડા પ્રધાન મનમોહન સિંહ ઘટના સ્થળે જવાનું ટાળી દવાખાનામાં ઘાયલોની મુલાકાત લઇ રવાના થઇ ગયા પરંતુ આતંકવાદ સામે હમેશા સૈનિકોથી વધારે બાથ ઝીલતા હોય એવા ભ્રમમાં રાચતા ગુજરાતનાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી પોતાની બાહ્દુરી બતાવવા બોમ્બે પહોંચી ગયા. ત્યાં જઇ ઘાયલોના ખબર અંતર પુછયા હોત તો સમજ્યા પરંતુ જેને રાજકારણ જ રમવૂ હોઇ તેને શરમ કે સંકોચ ક્યાંથી નડે ? જ્યારે તાજ અને ઓબેરોયમાં આતંકવાદીઓ સાથે મુઠ્ભેડ ચાલુ હ્તી ત્યારે મહારાષ્ટ્નાં મુખ્ય મંત્રી વિલાસરાવ દેશમુખે નરેન્દ્ર મોદીને વિનંતી કરી હ્તી કે હાલમાં આપ ઘટના સ્થળે ન જાવ તો શારૂ છે પરંતુ રાજકીય શાણપણના અભાવે નરેન્દ્ર મોદી ઘટના સ્થળે ગયા પણ ખરા અને હલકી કક્ષાનું રાજકારણ પણ રમ્યા. આખી ઘટના દરમિયાન તાજમાં ફસાયેલા એક નાગરીકને મીડીયાએ પુછયુ કે તમે કંઇક કેહવા માંગો છો તો જવાબમાં એણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી અહિંયા આવી રાજકીય રોટલી શેકે છે એ બાબત મને આતંકવાદી હુમલા જેટલી જ ગંભીર લાગી ખાસ કરી ને ત્યારે કે હુંએ તાજમાં આખી ઘટના નજર સમક્ષ નિહાળી છે. નરેન્દ્ર મોદી બોમ્બે જઇ મહારાષ્ટ્ર સરકારને એક કરોડની મદદ આપવાની જાહેરાત કરે છે, વડાપ્રધાન અને કોંગ્રેસ સરકાર આતંકવાદ સામે લડવામાં નીષ્ફ્ળ રહી હોવાના મિડિયા સામે ભાષણો કરે છે, શું આવા સમયમાં આ જરૂરી છે ? જો નરેન્દ્ર મોદી ખરેખર ભારતમાં આતંકવાદી હુમલાથી વ્યથીત હોત તો કર્ણાટક અને રાજસ્થાનમાં પણ ગયા હોત અને ત્યાંની સરકારને પણ મદદ કરી હોત પરંતુ મુળ મુદ્દો આતંકવાદનો નથી, મુદ્દો મહારષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે એનો છે, મહારાષ્ટ્ર સરકારને એક કરોડની મદદ આપવાની જરૂર છે? કે આસ્વાસન આપવાની?આવા સમયે તો માત્ર દેશ માટે વિચારવુ પડે, સંસદ પર જ્યારે હુમલો થયો હતો ત્યારે સોનીયા ગાંધીએ કહ્યું હતુ કે અમે સરકારની સાથે છે. અરે દેશની એકતાની કે દેશના સમ્માનની વાત આવે ત્યારે વિરિધીઓને પણ નીખાલસતાથી સાથ આપવો જોઇએ, નરેન્દ્ર મોદીને અમેરીકાએ વિઝા આપવાની ના પાડી ત્યારે આ જ કોંગ્રેસ અને આ જ વડાપ્રધાને અમેરિકાની આલોચના કરી નરેન્દ્ર મોદીને સાથ આપ્યો હતો તો નરેન્દ્ર મોદીમાં એટ્લી રાજકીય સુઝ નથી કે આતો વિઝાથી ઘણી ગંભીર બાબત છે. નેતાઓના પગાર વધારામાં વિરોધ કરશો તો સારા દેખાશો, આવા વિકટ સમયમાં કોંગ્રેસની સાથે નહીં પણ દેશની સાથે તો રહેવું પડ ને.


ભાજપના નેતા હંમેશા બે મોઢાની વાતો કરે છે, અડવાણી સહિત તમામ નેતા અત્યાર સુધી સાધવી પ્રજ્ઞા ઠાકુરનો પક્ષ લઇ એ.ટી.એસને કોસતા હતા, એ.ટી.એસ પ્રમુખ હેમંત કરખરે શહિદ થયા ત્યાં સુધી સાધવીની સાથે પોતાની વોટબેંક બચાવવાની ચીંતામાં એ.ટી.એસની આલોચના કરવાનો મોકો ભાજપે ક્યારેય નથી છોળ્યો, અરે ભાજપના નેતા વિજય મલ્હોત્રાએતો ભાજપ વતી એવી માંગણી પણ કરી હતી કે સાધવી પર ખોટા આરોપો લગાવનાર હેમંત કરખરેનો નાર્કો ટેસ્ટ થવો જોઇએ, ખરેખર જોઇએતો હેમંત કરખરેએ દેશ માટે શહાદત વ્હોરી આવા તમામ નેતાઓના ગાલ પર સણસણતો તમાચો માર્યો છે. અને આજ ભાજપે કરખરેએ શહિદી વ્હોરતાની સાથે જ્ હેમંત કરખરેના પરિવારને મદદની જાહેરાતો કરવા લાગી. હંમેશા આતંકવાદ સામે લડવા માટે એક થવાની જરૂર છે એવી વાતો કરતું ભાજપ અન્ય રાજ્યોની ચુંટણી દરમ્યાન પેપરોમાં જાહેરાતો આપે છે કે કોંગ્રેસ આતંકવાદને અટકાવી શકે એમ નથી માટે ભાજપને વોટ આપો. (આ જાહેરાતો છપાયછે ત્યારે બોમ્બેમાં આતંકવાદીઓ સામે આપણા જવાનો લડતા હતા). બોમ્બે ઘટના સમયે વડાપ્રધાન મનમોહન સિંહે અડવાણીને કહ્યું કે આપણે બોમ્બે સાથે જઇએ, તો પોતાની રાજકીય કારકિર્દી જાણે જોખમમાં મુકાય જવાની હોય એમ વડાપ્રધાનથી પહેલા બોમ્બે પહોચી ગયા અને ત્યાં પોતાનો રાજકીય અખાડો શરૂ કરી દીધો. આનાથી નક્કી કરવાનું છે કે ભાજપને વોટની ચીંતા છે કે દેશની?

આમાં કોંગ્રેસ પણ કંઇ વખણવા લાયક નથી, ભારતમાં અવારનવાર આતંકવાદી હૂમલા થાય છે અને હંમેશા ગૃહ મંત્રી શિવરાજ પાટીલઘટના સ્થળે આવી એકની એક વાત વારંવાર કરે છે અમારી એજન્સી તપાસ કરી રહી છે, આતંકવાદીઓ સામે કડક પગલા લેવામાં આવશે પરંતુ આવા આશ્વાસન હજુ ભુલાયા નથી હોતા ત્યાં તો વધુ એક આતંકવાદી હુમલો થઇ જાય છે, એક કાર્યક્રમમાં ભારતની પ્રથમ મહિલા આઇ.પી.એસ કીરણ બેદી એવુ સુચન આપે છે કે જો દેશમાં આતંકવાદ પર લગામ લગાવવી હશે તો હાલના ભારતના ગૃહ મંત્રીને બદલ્યા બાદ જ કોઇ નિર્ણય લેવો હિતાવહ ગણાશે અને તો જ કોઇ પણ વિષય પર મક્ક્મતાથી આગળ વધી શ્કાશે.(આ કામતો પાર પડી ગયુ)

બોમ્બેના આતંકવાદી હુમલા બાદ એક પ્રેસ કોન્ફરંસમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન આર.આર.પાટીલને એવુ કેહતા પણ શરમ નથી આવતી કે બોમ્બે જેવા મોટા શહેરમાં આવી નાની નાની ઘટનાઓ તો થતી રહે છે એમના મતે આતંકવાદીઓ જે ઇચ્છતા હતા કે ૫૦૦૦ લોકોનો જીવ લેવો એવો બનાવ બન્યો હોત તો મોટી ઘટના મનાત.

આવામાં રાજકારણીઓને વખોળવાથી કંઇ થવાનુ નથી આપણે આપણી માનસીકતા બદલવાની જરૂર છે, આપણે-આપણા સમાજે આત્મમંથન અને આત્મચિંતન કરવાની જરૂર છે, આપણે કોઇ અજાણ્યા વ્યક્તિને ભારતનાં જ કોઇ વિસ્તારમાં મળીએ છીએ તો આપણે ગર્વથી પરિચય આપીએ છીએ કે હું ગુજરાતી છું કે હું મરાઠી છું, ગામમાં મળીએ છીએ તો પોતાની જાતીની ઓળખ આપવાનું પસંદ કરીએ છીએ, કોઇ સામાજીક પ્રસંગે મળીએ છીએ તો જ્ઞાતીથી પરીચય આપીએ છીએ...શા માટે ? હા, વિદેશમાં કોઇને મળવાનું થાય છે તો ચોક્ક્સ ભારતીય હોવાની ભાવના જાગી જાય છે, હું ભારતીય છું. જે ભાવના કાયમ રાખવી પડશે...કયારેય કોઇ અમેરિકીને પરીચય આપતા સાંભડ્યા હોય તો એ હંમેશા એમ જ કેહશે I am an American. આપણે પણ આવી દેશ ભાવના જગાડવી પડશે આપણા દ્વારા જ પાડવામાં આવેલા ફાટાઓને એક કરી દરેક સમાજ, દરેક નાગરીક વચ્ચેનું અંતર ઘટાળવુ પડશે અને દેશ માટે બધાએ સાથે બહાર આવવુ પડશે. નેતાઓને વખોળવા કરતા સારા નેતા આપવા પડશે. નેતાઓએ શું કરવુ, આપણા સમાજની શું જરૂરીયાત છે એ હવે આપણે આપણા નેતાઓને જણાવવું પડશે, ચુંટણી પેહલા રાજકીય પક્ષે નહી નાગરીકોએ ઘોષણા પત્ર બહાર પાડી વિશ્વાસ સાથે એને નીભાવી શકનાર સક્ષમ નેતાને જ દેશની સેવા કરવાની જવાબદારી સોંપવી પડશે. જો આપણે આપણા દેશ માટે, આપણા અધિકારો માટે, આપણી સુરક્ષા માટે જાગૃત નહીં રહિએ અને પછી સંકટ સમયે નેતાઓને કોષતા રહીશું તો એ આપણા સમાજની, આપણી કમજોરી કહેવાશે. હવે આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું છે.

(ઘણા સમયથી બ્લોગ પર કોઇ અપડેટ નહી આપવા બદલ માફી ચાહું છું, આમ તો બ્લોગ પર લખવા માટે મારા પર ઉદાસીનતા હાવી થય ગઇ હતી પરંતુ દેશ પર થયેલા આતંકવાદી હુમલાએ ફરી ચેતના પ્રગટાવી, હવેથી હંમેશા પ્રયત્નશીલ રહીશ કે નવા નવા વિષયો પર ચર્ચા માટે બ્લોગ થકી આપની મુલાકાત થતી રહે)

16.7.08

પરમાણુ કી પાઠશાલા...

પરમાણુ કરાર, શું છે તકરાર ?
મેરીકા અને ભારત વચ્ચે થનાર સુચિત અણુ કરારને કારણે મનમોહન સરકાર બરાબરની ભીંસમાં મુકાય ગઇ છે. યુ.પી.એ સરકારને ટેકો આપી રહેલા ડાબેરી પક્ષો શુરુઆતથી અણુકરારની(અમેરીકા) વિરુધ્ધ છે જેના કારણે ડાબેરી પક્ષો એ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. ડાબેરીઓએ કરારની વિરુધ્ધ ટેકો ખેચી લીધો, હંમેશાથી કોંગ્રેસનો રાજકીય વિરોધી સમાજવાદી પક્ષે સરકારને સમર્થન આપ્યું, બીજેપીએ નીવેદન બહાર પાડયુ કે સરકાર લઘુમતિમાં મુકાય ગઇ છે, વિરોધીઓનો સુર મોટો થતો ગયો; સરકાર લોકસભામાં વિશ્વાસનો મત મેળવે. આવી મહિનાઓથી ચાલી રહેલી રાજકીય ગડમથલનો હવે અંત આવી ગયો હોય એમ લાગી રહયુ છે. હાલની પરીસ્થિતીમાં તો સરકારના માથે તલવાર લટકી રહી છે, આટલી બધી મડાગાંઠનું મુળ અણુકરાર શું છે એ સામાન્ય પ્રજાની જાણની બહાર છે. તો શું છે કરાર? શું છે તકરાર ? જાણીએ પરમાણુ કી પાઠશાલામાં...
  • વડાપ્રધાન મનમોહન સિંહ જુલાઇ ૨૦૦૫માં જ્યારે વોશિંગ્ટન ગયા ત્યારે ભારત-અમેરિકા વચ્ચે અણુકરારની ચર્ચા-વિચારણા શરૂ થઈ, ત્યાર બાદ માર્ચ ૨૦૦૬માં અમેરિકી પ્રમુખ જ્યોર્જ બુશ ભારત આવ્યા ત્યારે ૧૯૫૪ના કાયદાની કલમ ૧૨૩ના અન્વયે ભારતને અણુતંત્રજ્ઞાન અને અણુસામગ્રી આપવા અંગે સમજુતી કરવામાં આવી. આ લાંબી વાતાઘાટો પછી જે કરારનામું તૈયાર કરાયું એ ૨૦૦૭માં પ્રસિધ્ધ કરાયું.

  • અમેરિકાએ જાપાન પર ૧૯૪૪માં બે અણુબૉમ્બ નાખ્યા હતા ત્યાર પછી અમેરિકાએ ૧૯૪૫ અણુઊર્જા નિયંત્રણ કાયદો ઘડ્યો કે જે દેશ અણુશક્તિનો વપરાશ શાંતિમય રીતે અને વિકાસ માટે કરવાની બાંયધરી આપે એને અણુઊર્જાના વપરાશ માટે સામગ્રી અને જાણકારી અમેરિકા આપશે. આ જોગવાઇ ૧૨૩મી કલમમાં રાખવામાં આવી છે. અમેરિકા એ ખાતરી કરી લે છે કે અમેરિકન સામગ્રી અને તંત્રજ્ઞાનનો ઉપયોગ શસ્ત્રો બનાવવા માટે ન થાય. અત્યાર સુધી આ કરાર ૨૫ દેશ જોડે અમેરિકાએ કરેલા છે જેમાં જાપાન, ચીન, રશિયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે.

  • આમતો અમેરિકાનો ઈરાદો સારો છે પણ આ કરારનો પોતાના પક્ષે અમલ કરવા હેન્રી હાઈડે રજુ કરેલો કાયદો જે અમેરિકન સંસદમાં પાસ થયો છે જેમાં બે શરતો છે જેમાંની એક તો ભારતના અણુઊર્જા લશ્કરી વિકાસ પર અંકુશ રાખવો પડે જેથી ભારત અણુબૉમ્બ ન બનાવી શકે અને બીજુ ભારતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અમેરિકાને સહકાર આપવો પડશે. આ સમજુતી જોડાજોડ ભારત-અમેરિકા વચ્ચે લશ્કરી સામગ્રી, તાલીમ અને કવાયતની બાબતમાં બન્ને દેશ અરસપરસ સહકાર આપશે એવી સમજુતી પણ કરવામાં આવી છે. અમેરિકા જેવા મુડીવાદી દેશને સહકાર આપવો પડે એવા કરાર માટે ડાએરી પક્ષો અણુઊર્જા સમજુતીનો વિરોધ કરી રહ્યા છે.

  • આ બન્ને કલમના કારણે દેશની આઝાદી અને સલામતી જોખમમાં મુકાય એમ છે, એવા વિરોધના કારણે ભારત સરકારે અમેરિકાને સ્પષ્ટ રીતે જણાવ્યુ છે કે આ બન્ને શરત સંપુર્ણ રીતે અસ્વીકાર્ય છે. સામે ભારતનો વિરોધ સ્વીકારી બુશે ચોખવટ કરી કે આ બંને કલમ બંધનકર્તા નથી, પરંતુ માર્ગર્શન કારક છે અને અમેરિકન સરકાર હર હંમેશને માટે આ બન્ને કલમ લાગુ પાડતા પહેલા ભારતની સલામતી અને સંરક્ષણની જરૂરિયાતને પણ ધ્યાનમાં લેવામાં આવશે, આવી ખાતરી મળ્યા બાદ આપણા વડાપ્રધાને જાહેર કર્યુ કે અમેરિકાના કાયદા અમેરિકાને લાગુ પડે છે, પણ ભારતને એનાથી બાંધી શકાય નહીં.

  • ઘણી વખત એ પ્રશ્ન થતો હોય છે કે શું છે એ સમજુતી? ભારત સરકાર લશ્કરી અને બિન-લશ્કરી અણુકેન્દ્રો અલગ પાડશે અને લશ્કરી કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સંઘ એમાં દખલઅંદાજ કરી શકે નહીં. એટલે કે, આપણા લશ્કરી કેન્દ્રોમાં અમેરિકાનું ઇંધણ વાપરી શકાય નહીં અને બિન-લશ્કરી અણુકેન્દ્રોમાં વપરાતાં ઈંધણનો દુરુપયોગ કરીને ભારત અણુબૉમ્બ ન બનાવે એ માટે સંઘને કેન્દ્રોની ચકાસણી કરવાની સત્તા મળવી જોઇએ. સંઘની એવી માંગણી પણ છે કે ચકાસણી ગમે ત્યારે થઇ શકે, જ્યારે ભારતનો એવો આગ્રહ છે કે ચકાસણીનો સમય અને સ્થાન અમારા કહ્યા મુજબના હોવા જોઇએ. ભલેને અચાનક ચકાસણી કરતા આપણે ક્યાં ચોરી કરવી છે તે ચિંતા. સાથે ભારતનો એવો પણ આગ્રહ છે કે જાપાનની જેમ અણુબળતણ ફરી ફરીને (Automatic reproccessing) વાપરવાનો અબાધિત હક્ક આપણને પણ મળવો જોઇએ.

  • જો આ કરાર કરવામાં આવે તો અમેરિકા આપણને ઈંધણ, ફરી ફરીને વાપરી શકાય એવું તંત્રજ્ઞાન પુરુ પાડશે, સાથેજ કારખાના ઊભા કરવા માટે ૧૦૦,૦૦,૦૦,૦૦૦ (૧૦૦ બિલિયનન) ડોલરનું મુડીરોકાણ કરશે. આ અણુઊર્જામાંથી ભારત વીજળી બનાવે તો અત્યાર કરતા પાંચ ઘણી વીજળી પેદા આપણે કરી શકીએ છીએ. જેના કારણે ઉધોગો, ખેતી માટે જરૂરિ વીજળી મળી રેહશે, આર્થિક ઉન્નતિ પણ ઝડપભેર થઇ, દેશમાંથી ગરીબી દુર કરવાના પુરતા સાધનો મળી રેહશે. અણુઊર્જા મબલક પ્રમાણમાં મળી જાય તો પેટ્રોલ, ગેસ માટે પરદેશી આયાતની જરૂર ઓછી થઇ જશે. આ કરાર ૪૦ વર્ષ માટે કરવામાં આવશે જે એક વર્ષની નોટિસ અને બન્ને પક્ષ વચ્ચે સમજુતી બાદ જ રદ થઇ શકે.

  • આ કરાર એટલા માટે પણ મહત્વનો થઇ જાય છે કે ઊર્જા માટે જરૂરી યુરેનિયમ આપણી પાસે માત્ર ૧% જેટલુ જ છે, માટે બીજા પર આધાર રાખ્યા વિના ચાલવાનું નથી. આપણા પાસે થોરિયમ છે, દુનિયામાં ૨૪% જેટલુ થોરિયમ આપણા પાસે છે પરંતુ એમાંથી ઊર્જા પ્રાપ્ત કરવુ અઘરું છે અને જ્યા સુધી આતરરાષ્ટ્રીય અંકુશ ભારત સ્વીકારે નહીં ત્યા સુધી બીજો કોઇ દેશ આપણને ઈંધણ કે તંત્રજ્ઞાનની જાણકારી આપવા તૈયાર નથી. એટકા માટે કરાર કર્યા સિવાય કોઇ છુટકો નથી.

  • આ કરાર ભારતને ખરેખર લાભદાઇ છે. હાલના એનર્જી કમિશનના અધ્યક્ષ અનિલ કાકોડકરે તો એમ કહ્યુ હતુ કે "જો કરાર નહી થાય તો દેશનો ઈતિહાસ ક્યારેય માફ નહી કરે". માજી અધ્યક્ષ સુબ્રમણ્યમ તેમજ અન્ય અણુવિજ્ઞાનશાસ્ત્રીઓ પણ આ કરારના પક્ષમાં છે, એટલુ જ નહી, આપણા ભુતપુર્વ રાષ્ટ્ર્પતિ અને વિખ્યાત અણુવિજ્ઞાની ડૉ. એ.પી.જે અબ્દુલ કલામે પણ આ કરારને દેશના હિતમાં અને દેશ માટે અત્યંત લાભ દાયક છે એવો મત જાહેરમાં પ્રગટ કર્યો છે.

હવે આટલા ફાયદા થતા હોય અને નુકસાન કશુંજ ન હોય તો આટલો બધો વિરોધ શા માટે. ભુતપુર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી જ્યારે ટેક્નોલોજી અને કમ્પ્યુટર યુગની શરૂઆત કરવા માટે મક્કમ હતા ત્યારે એમનો પણ આટલો જ વિરોધ થયો હતો. પણ એના ફાયદા અત્યારે જોઇ શકાય છે. એમ પરમાણુ કરારને માટે ભલે આટલો બધો વિરોધ થતો હોય પણ અત્યારે આપણને સ્વ.રાજીવ ગાંધીની જેટલી ખોટ પડી રહી એટલી જ ખોટ આવનાર પેઢીને મનમિહન સિંહની પડશે એ નિશ્ચીત છે.

8.7.08

સામ માણેકશાઃઆર્મીના સુવર્ણયુગનો અંત.

'અ ફીલ્ડ માર્શલ નેવર રિટાયર્સ!', સામ હોરમસજી ફ્રકમજી જમશેદજી માણેકશાના આ શબ્દો સદાકાળ માટે ફીલ્ડ માર્શલને જીવંત રાખતા ગયા. માણેકશાનો જન્મ ૩ જી એપ્રીલ ૧૯૧૪ના રોજ અમૂતસરમાં થયો હતો. તમને નવાઇ લાગશે એક પારસી કુટુંબમાં જેમનો જન્મ થયો, જેમના વડદાદા ગુજરાતના વલસાડ અને પાછળથી મુંબઇ રેહતા હતા એનો

મોતનો મલાજો પણ ન જળવાયો ...

માણેકશાના અવસાનના સમાચાર સાંભળી આમજનતા પણ દુઃખ વ્યકત કરતી હતી. લશ્કરી શિસ્ત, સહજ સ્વભાવ અને વિશાળ વ્યક્તિત્વના કારણેએ હંમેશા લોકપ્રિય રહયા. ૧૯૭૧ની ઘટના પ્રસંગે ભરચોમાસે લશ્કરી કારવાઇ માટેના રાજકીય દબાણનો એમણે મક્કમતાથી સામનો કર્યો. પોતાની આગવી આવડતના કારણે માત્ર ૧૫ દિવસમાં પાકિસ્તાની સેનાને પરાસ્ત કરી. સેનાપતિ કૌલ સાથેની અથડામણના કારણે એમની સામે ખાતાકીય તપાસ પણ ચલાવાય હતી. એમની સામે એક વખત તો રાષ્ટ્રદ્રોહનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો, પણ દરેક વખત માણેકશા અણીશુધ્ધ પુરવાર થયા. આવા વીર પુરુષની અંતિમયાત્રામાં સંરક્ષણપ્રધાન એ.કે.એન્ટોની ગેરહાજર રહ્યા, અને આનાથીએ શરમજનક વાતતો એ છે કે ભારતની ત્રણેય પાંખના વડા પણ ગેરહાજર રહ્યા. જે લશ્કરી દળની આંતરીક ખટપટોનું દર્શન કરાવે છે

જન્મ અમૂતસરમાં કેમ? આના પાછળ હકીકત એમ છે કે માણેકશાના પિતા વ્યવસાયે ડોક્ટર હતા, મુંબઇમાં એમની પ્રેક્ટિસ બરાબર જામી નહીં માટે ૧૮૯૯માં એમના લગ્ન બાદ વધુ પ્રગતી માટે તેઓ પંજાબના લાહોર શહેરમાં સ્થાયી થવા નીકળ્યા પરંતુ તે સમયે ટ્રેનની મુસાફરી ખુબ લાંબી, ૪-૫ દિવસની હતી, આવામાં માણેકશાનાં માતા મુસાફરીમાં એવા કંટાળી ગયા કે તેમણે રસ્તામાં અમૂતસર ઉતરી જવાનુ નક્કી કર્યુ, પત્નીની વાતે સહમત થઇ તેઓ લાહોરને બદલે અમૂતસરમાં જ રહી પડયા.

માણેકશાનુ શાળાનુ શિક્ષણ અમૂતસરમાં થયેલુ અને ત્યાર બાદ તે નૈનીતાલમાં ભણ્યા. ૧૮ વર્ષની ઉંમરે એટ્લેકે ૧૯૩૨માં તેઓ ઇન્ડીયન મિલીટરી અકાદમીમાં(IMA) ભણવા દેહરાદુન ગયા. યાદ રહે કે માણેકશા જ્યારે ભણતા હતા ત્યારે બ્રિટિશરો આપણા પર રાજ કરતા હતા. ત્યાંથી તાલીમ લીધા પછી તરતજ ૪ ફેબ્રુઆરી ૧૯૩૪ના રોજ એમને બ્રિટિશ ઇનફન્ટ્રી બટાલિયનમાં સ્થાન મળ્યુ. ૧૯૩૭માં બ્રિટિશરો માટેના યોધ્ધા બન્યા પછી લાહોરના એક પ્રસંગમાં સીલુ બોડે નામની દેખાવડી યુવતી સાથે પરિચય થયો અને પરિચય પ્રેમમાં પરિણમ્યો અને ૧૯૩૯માં ૨૫ વર્ષની વયે જ લગ્ન કર્યા. લગ્ન બાદ બીજા વિશ્વયુધ્ધમાં પત્નીથી વિરહ કરીને બર્માને મોરચે જપાન સામે લડવા ગયા, માણેકશાનાં વિરહના એહસાસે બીજા સૈનિકોને ફાયદો કરાવી આપ્યો, આઝાદી બાદ જ્યારે સૈનિકોને મોરચે જવાનુ હોય ત્યારે વિરહભથ્થુ મળે એવી વ્યવસ્થા કરાવી હતી. ૬ જુન ૧૯૬૯ના રોજ માણેકશા ચીફ ઓફ આર્મી બન્યા.

ઇન્ડીયન મિલીટરી અકાદમીમાં એમના એક મિત્ર હતા યાહ્યા ખાન. ૧૯૪૭ સુધી બ્રિટિશ આર્મીમાં બન્ને સાથે હતા, જેઓ ભાગલા બાદ પાકિસ્તાન જતા રહયા હતા. જોગાનુજોગ ભારત પાકિસ્તાન યુધ્ધ વખતે માણેકશા અને યાહ્યા ખાન પોત-પોતાના દેશની આર્મીમાં વડા હતા. ૧૯૭૧ના યુધ્ધ સમયે માણેકશાએ પોતાના જુનીયરને યુધ્ધની રનનીતિ ઘડવાની જવાબદારી સોંપી, માણેકશાનુ માનવુ હતુ કે યાહ્યા ખાન એમના એટલા સારા મિત્ર હતા કે એમને ખબર હશે કે માણેકશા શું રણનિતિ બનાવશે. આખરે માણેકશા એમની રણનિતિમાં સફળ થયા અને ભારતનો વિજય થયો.

માણેકશા મુળ પારસી હતા અને કદાચ જ કોઇ પારસી રમુજ સ્વભાવનો ના હોય, તેઓ મોસ્કો ગયા હતા ત્યારે ભારતની એલચી કચેરીએ એમને બે શબ્દો બોલવા કહ્યું, માણેકશા બોલ્યાઃ સદહગૂહસ્થો, મને વાતો કરતા આવડતી નથી. મારા દેશમાં હું ઓછામાં ઓછુ બોલુ છુ. બોલવાનુ કામ મારા દેશમાં બે મહિલા કરે છે અને મારે તે સાંભળવી પડે છે. આમાની એક મહિલા છે વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધી અને બીજી મહિલા છે શ્રીમતિ સીલુ, જે મારી પત્ની છે ! આના થી વધારે એમને બે પુત્રી હતી એકનુ નામ શેરી અને બીજીનુ નામ માજા. શેરીના પતિની અટક બાટલીવાલા હતી અને માજાના પતિની અટક દારૂવાલા અને જ્યારે શેરીને પુત્રી જન્મી ત્યારે માણેકશાએ એનું નામ બ્રાન્ડી રાખ્યું ! અને ઘણી વખત તેઓ પુત્રી-જમાઇને બહુ ચીડવતા, આમ પારિવારીક જીવનમાં પણ એ ખુબ રમુજી સ્વભાવના હતા.

માણેકશા ફોજમાં હતા તેથી જીવનમાં નૈતીકતા અને અનુશાસનમાં ખુબ માનતા હતા. ભારતીય સૈનિકો જ્યારે પશ્ચિમ પાકિસ્તાનને મોરચે જતા હતા ત્યારે માણેકશાની એક શીખામણ સૈનિકોને છાપીને આપવામાં આવી હતીઃ મારા જવાનો, પાકિસ્તાનના પ્રદેશોની સ્ત્રીઓ અત્યંત સ્વરૂપવાન હોય છે, પણ એમને જુઓ ત્યારે તમારા બન્ને હાથ તથા હૈયાને સજ્જ્ડ રીતે કબુમાં રાખજો અને સામ માણેકશાની ઈજ્જતને યાદ રાખ્જો... સાથે તેઓ આત્મીય અને સરડ સ્વભાવના પણ હતા. પાકિસ્તાનને એના ઘરમાં જઇને હરાવી અને ૯૩,૦૦૦ પાકિસ્તાની સૈનિકોને કેદ કરી વિજયનો શ્રેય પણ માણેકશા એ પુર્વ ભારતના લશ્કરી વડા લેફટનટ જનરલ જગજીતસિંહ અરોરાને આપ્યો હતો એટલુ જ નહિં ૯૩,૦૦૦ કેદી સૈનિકો સાથે સદગૂહસ્થની જેમ વર્તાવ કરવો એવો હુકમ માણેકશાએ લશ્કરને કરેલો. જે સૈનિકો પાછળ ભારતે કરોડો રૂપયા ખર્ચ કરવો પડેલો.

ફોજમાં ગોરખા સૈનિકોએ એમને સામ બહાદુર નું બિરુદ આપ્યુ હતુ. દેહરાદુનમાં આઠમી ગોરખા રેજિમેન્ટની છાવણીમાં સામ બહાદુર નામનો એક રૂમ છે, જેમા માણેકશાને મળેલા તમામ મેડલો અને એમની ઇત્યાદિ વસ્તુઓ ત્યા પડી છે, માણેકશા એ વિશે કેહતાઃ કે માત્ર મારી ફીલ્ડ માર્શલની બેટન અને તલવાર જ મે રાખ્યા છે. માણેકશાને ૧૯૭૨માં પદ્મ વિભુષણથી પણ નવાજાયા હતા. અને ૧૯૭૩માં ૨૬ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન ઇંદીરા ગાંધીએ માણેકશાને ફીલ્ડ માર્શલનું બિરુદ આપવાનુ નક્કી કર્યુ.

આમ વિશાળ વ્યક્તિત્વ ધરાવતા માણેકશા એમના નિવૂત જીવનમાં હંમેશા કેહતા કે ફોજમાંથી મને મચ અફેકશન, મચ સેટિસ્ફેકશન મળ્યા છે. ભ્રષ્ટ નથી એવા માણસો સાથે કામ કરવાનો બેહિસાબ સંતોષ મળ્યો છે. જિંદગી ફરીથી શરૂ કરવી પડે તો પણ હું આવી સૈનિકની જિંદગી જ જીવીશ. બીમાર પડયા ત્યારે ભુતપુર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે સૈન્યના ડૉકટરોને કહેલુ કે પ્લીઝ, આમની સારવાર બરાબર કરજો, ભારત પાસે એકજ ફીલ્ડ માર્શલ છે!

21.5.08

બધા મુસલમાન આતંકવાદી નથી હોતા.

મિત્રો,

આ પહેલા પણ આપણે બીજે ઘેર એટલે કે અન્ય બ્લોગ કે સાઈટ પર હિન્દીમાં લેખ લખેલ છે જેમાં આપ સૌનો ખુબ સાથ-સહકાર મળેલ છે. ભારતમાં વધતી જતી આતંકવાદી ઘટના સાથે દેશમાં બે કોમ વચ્ચે ઝેર અને વૈમનસ્ય પણ ફેલાય રહ્યુ છે, જે પણ ખુબ જ ગંભીર વિષય છે. આ પરિસ્થિતીથી બચવા મોટા મંચ પર ચર્ચા થાય તે ખુબ જરૂરી છે. મારા લેખ ને NDTVखबर.com પર સ્થાન મળેલ છે, જ્યાં आतंकियों का मजहब ! નામ થી હું એ એક લેખ પ્રસિધ્ધ કર્યો છે, આની પ્રતિક્રિયા અહીયા આપવા વિનંતી છે.

14.5.08

બુશનો બફાટ બરાબર છે ?

આખી દુનિયામાં જેની વાતનું વજન પડતુ હોય એવી વ્યક્તિ બફાટ કરે તો એનો વિવાદ વકરે એમાં નવાઈ નહી. જ્યોર્જ બુશ અત્યાર સુધી એટલા વિવાદાસ્પદ રહયા છે કે એમના વિવાદો પર આખો ઉપન્યાસ લખાય જાય. હાલમાં જ બુશે વધુ એક વિવાદ છેડ્યો છે. જેની ખુબ ટીકા પણ થઈ છે, પણ બુશની ટીકા કરવી એટલે અડિયલ ટટ્ટુને ચાબુક મારવા જેવુ છે કોઈ ફાયદો ન થાય અને આપણા હાથ દુઃખી જાય.


અમેરિકન ચાર વ્યક્તિના પરિવારનો સરેરાશ ખોરાક અઠવાડિયા દરમ્યાન આટલો હોય છેઃ એક સર્વે.

ભારત અને ચીનનાં મધ્યમ વર્ગનાં લોકોની રહેણી-કરણી સુધરી છે અને સમૃધ્ધિ વધી છે માટે તેઓ પેહલાના પ્રમાણમાં વધારે ખોરાક લેતા થયા છે જેના કારણે ભારત અને ચીનમાંથી અનાજની નિકાસ અટકી ગઈ છે જેથી આખી દુનિયામાં અનાજની અછત અને મોંઘવારી વર્તાય રહી છે. આ કારણ બુશ અને એમના વરિષ્ઠ પ્રધાન કોન્ડોલિસા રાઈસે દુનિયામાં અનાજની તંગી માટે આપ્યુ છે.

આઝાદીના 38 વર્ષ એટલે કે 1985 સુધી ભારતે અમેરિકા અને અન્ય દેશોમાંથી જહાજો ભરી અનાજ આયાત કરવુ પડતું હતું, પરંતુ સમય બદલાતા પરિસ્થિતી પણ બદલાઈ છે હાલમાં અનાજની બાબતમાં આપણે સ્વાવલંબી છે, આજે આપણે અનાજ નિકાસ કરીએ છીએ. દુનિયાના અનાજભંડારમાં આપણે વધારો કરીએ છીએ માટે ભારતના કારણે અનાજની તંગી ઉભી થઈ હોય એ વાત ખોટી છે. હા! આપણો વપરાશ વધ્યો છે એ વાત સાચી છે પણ સામે ભુખમરાનું પ્રમાણ પણ ઘટ્યું છે જે આપણા માટે ગર્વની વાત છે. આપણા દેશનો ઉદ્દેશ પણ એજ છે કે ભુખમરાનું પ્રમણ ઘટે અને દેશના દરેક નાગરીકને પેટ ભરીને જમવા મળે.

આપણે ત્યાં અમેરિકા જેવુ થોડુ છે, અમેરિકામાં બળતણ બનાવવાં માટે જથ્થાબંધ અનાજ વાપરી નાખવામાં આવે છે એનાથી પણ વિચિત્રતો એ છે કે દારૂની એક બોટલ બનાવવા માટે છ(6) માણસના ખોરાક જેટલુ અનાજ બગાડવું પડે છે છતાં પણ ત્યાં દારૂનો વપરાશ વધતો જાય છે. 1996 થી અનાજનું ઉત્પાદન સ્થગિત થઈ ગયુ છે એની ચેતવણી પણ યુનોએ વારંવાર આપી છે.

બુશસાહેબ એ સમય ગયો જ્યારે અનાજના જહાજો ભારતામાં આવતા ત્યારે એમ કેહવાતું કે From Ship to Stomach, હવે તો ભારતીયો જમશે અને જમાડશે પણ ખરા.

30.4.08

સંસદ ગૃહ જોઈ ભ્રમ ભાંગ્યો!

ભારત દેશ બીનસાંપ્રદાયીક લોકશાહીની મીશાલ છે, જે દેશના રાષ્ટ્રપતિ મુસ્લિમ હોય, દેશના પ્રધાનમંત્રી શીખ હોય અને દેશના સત્તાધારી પક્ષના વડા ઈસાઈ હોય, એ દેશ સાચા અર્થમાં આદર્શ લોકશાહીની નીશાની છે.

ઉપરોક્ત વાત અમેરીકી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ જ્યારે ભારતનાં પ્રવાસે આવ્યા ત્યારે કહી હતી. આ જાણી મને ખુબ આનંદ થયો કે હું પણ આજ દેશનો નાગરીક છું, જેવો આનંદ અવાર-નવાર દેશ માટે થયા કરે છે અને થોડું દુઃખ પણ થયુ હતુ કે એક વીદેશી દ્રારા મને આ વાત ખબર પડી.

હાલમાં જ દિલ્લી જવાનું થયું, કામની વ્યસ્તતામાંથી સમય કાઢી ભારતની લોકશાહીનું મંદિર સંસદ ગૃહ જોવા જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, ટી.વી પર જોઈ સંસદ ગૃહ માટે વિચારોના ઘોડા ખુબ દોડાવ્યા હતા, એકઅબજ ની વસતી ધરાવતા દેશમાં માત્ર 545 સાંસદ હોય છે જે અસામાન્ય વાત છે, સમસ્યાથી ભરપુર દેશ પર રાજ કરનારાઓ માટે મારા મનમાં મુંઠી ઉંચેરુ સ્થાન હતું, હંમેશા વિચારતો કે સાંસદો પાછળ પ્રજાના અઢળક નાણાં વપરાય છે, એમની સગવડ , એમની સલામતી સરકાર માટે ખુબજ મહત્વ ધરાવે છે, ખુબજ મોટા વિસ્તારનું પ્રતિનિધીત્વ કરતા સાંસદો ખરેખર કઈક વિશેષતા સભર હશે, સાંસદ ગૃહમાં પોતાના વિસ્તાર- દેશ માટે ખુબ ગંભીર હશે, સંસદ ગૃહમાં સાર્થક ચર્ચા પર સાંસદો દેશના હીતમાં પોતાનો પક્ષ રાખી કર્તવ્ય પાલન કરતા હશે પરંતુ આ બધા વિચારો ભ્રમ સાબીત થયા.

પહેલી વખત સંસદ જોવા ગયો ત્યારે પ્રાંતવાદનાં મુદ્દા પર સંસદમાં સાંસદોએ ધમાલ કરી અને સંસદની કાર્યવાહી બંધ કરવાનો વખત આવ્યો અને બીજી વખત એક આશા હતી કે મોંઘવારીના મુદ્દે સાર્થક ચર્ચા જોવા મળશે પરંતુ બુંદેલખંડના મુદ્દે સાંસદોએ ધમાલ કરી, એમની માંગણી હતી કે બુંદેલખંડ પર બોલવા માટે અમને સમય આપો, અધ્યક્ષ સોમનાથ ચેટર્જી એ સાંસદો ને વિનંતી પણ કરી કે પ્રશ્નકાળ પછી બોલવાનો સમય આપીશું પણ હાલમાં સંસદની કાર્યવાહી ચાલવા દેવામાં સહયોગ આપો પરંતુ એ દીવસે સંસદ નહી ચાલવા દેનાર સાંસદો એ સાબીત કર્યુ કે એમને વધારે રસ હંગામો કરી મીડીયાનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં હતુ, મોંઘવારી જેવા ગંભીર અને સામાન્ય માણસથી જોડાયેલા મુદ્દા પર ચર્ચામાં ભાગ લેનાર સાંસદ આંગળીના વેઢે ગણાય તેટલા હતા.

મારા સ્મરણમાં છે, સંસદ ગૃહના અધ્યક્ષ હોવાનુ સોમનાથ ચેટર્જીને દુઃખ થયુ એની પાછળનું કારણ પણ સાંસદો જ હતા, સાંસદોની ગેરવર્તણુકથી વ્યથીત થઈ અધ્યક્ષની આંખો ભીની થઈ ગઈ હતી છતા પણ સાંસદોના ચહેરા પર શરમનો છાંટો નહોતો દેખાતો, એક વખત આવી જ ઘટનાના કારણે અધ્યક્ષે સાંસદો ને ઠપકો આપતા કહ્યુ હતુ કે તમે જ લોકશાહીની હત્યા કરી રહ્યા છો, સાંસદો એટલી હદે હોબાડો મચવી દે છે કે હાલમાં જ અધ્યક્ષને ગૃહ ની લાઈટો અને રેકોર્ડીંગ પણ બંધ કરાવવાની ફરજ પડી હતી, વંઠી ગયેલા બાળકો જેવા સાંસદોના વ્યવહારના કારણે સોમનાથ ચેટર્જીમાં એક કરૂણ, હારી ગયેલ બાપની છબી જોવા મળે છે જે હંમેશા લોકશાહીના મંદીર સમા સદનની પવીત્રતા ટકાવી રાખવા ઝઝુમતા રહે છે

પક્ષ પ્રેરીત કે પ્રસીધ્ધીના કારણે વીરોધ કરી સંસદની કાર્યવાહી બંધ થતા ઘણી વખત જોઈ છે, એમ નથી કે હંમેશા આમ જ બને છે ઘણી વખત દેશનાં હીતમાં સાર્થક ચર્ચા થતા પણ જોઈ છે, પોતાના વીસ્તારની સમસ્યા માટે લડતા સાંસદોને પણ જોયા છે, સરકારને વિચારતી કરી દે એવો વિરોધ પક્ષનો વિરોધ પણ જોયો છે અને ઘણા મુદ્દા પર સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષનો એક સુર પણ જોયો છે. પરંતુ વ્યક્તિગત કે જાતીવાદ, પ્રાંતવાદ કે પક્ષવાદથી પ્રેરીત વિરોધના કારણે સંસદ ગૃહ બંધ રહે એ શરમની વાત છે, લોકશાહીમાં દરેકને વીરોધ કરવાનો હક્ક હોય છે પરતું માત્ર લોકોના હીતમાં.

આપણા પ્રધાનમંત્રી મનમોહન સિંહને એક પત્રકારે પુછેલુ કે રાત્રે આરામથી ઓશીકા ઉપર માથું મુકી સુતા પહેલા કઈ ચીંતા સતાવે છે? એમણે જવાબમાં કહ્યુ હતુ કે એક અબજની વસ્તી ધરાવતા દેશનાં પ્રધાનમંત્રી હોવું એજ એટલો ચીંતાનો વિષય છે કે આરામથી ઓશીકા પર માથું મુકી સુઈ જ નથી સકાતુ, આવા આદર્શ વ્યક્તિત્વ ના કરણે જ વિશ્વાસ ટકી રહયો છે. ઘણા સાંસદો છે જે ખરેખર અપવાદ છે, દેશ અને લોકોને લઈને ચીંતીત છે જેઓના કારણે જ આપણે નીશ્ચીંત છીએ.

સંસદ ગૃહની બહાર નીકળતા એવા સાંસદો વિશે વીચાર આવ્યો કે જેઓ આખી દુનીયાની પંચાતો કરતા હોય છે, મોકો મળતા હંગામો કરી દે છે પરંતુ ગંભીર વિષય ની ચર્ચા વખતે સદનમાં ગેરહાજર રહે છે, આવા સાંસદોની હરકતો પર પ્રજા ખરેખર ધ્યાન આપશે તો ભારતની આવતીકાલ ઉજળી છે.

14.4.08

દિલથી ભારતવાસી !

મારો એક મીત્ર છે સપન, હાલમાં અમેરીકા(USA)માં છે અમે સ્કુલમાં સાથે ભણતા હતા ત્યારના એના વર્તન પરથી મને લાગતુ કે એના મનમા મારી છબી એક વંઠેલા છોકરાની હતી, અને હુ હતો પણ ખરો. પરંતુ અમેરીકા ગયા પછી એ વંઠી ગયો હોઇ એમ મને લાગે છે ! પણ હજુયે એ દિલથી ભારતવાસી છે, એણે મને ઈ-મેઈલ દ્વારા અમેરીકા માં રેહતા ભારતીયો દિલથી ભારતવાસી છે એના પુરાવા ખાસ કરીને બ્લોગ પર મુકવા મોક્લયા છે. આપ સૌ માટે આ ગીત સપન ભાઈ તરફથી...



અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

અમેરિકા તો વર્લ્ડ-ક્લાસ છે મનમાં એવો દમામ
ડોલર-સેંટમાં દીઠા સૌએ અડસઠ તીરથધામ

ન્યુ જર્સી કે મેનહટન વોશિંગટન બાલ્ટીમોર
વેસ્ટ કોસ્ટમાં હોલીવુડ ને ડીઝની કેરો શોર

સાંજ પડે ને સાંભરે અમને ડેડ-મોમ ને માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

મોટલ વાળા પટેલ મગનભાઇ મેક થયા છે ભાઇ
નોખા રહેતા ઇંડિયન થઇ કહેવાયા એન.આર.આઇ

સ્વીચ ઉંધી નળ ઉંધા ચાલે ગાડી ઉંધે પાટે
ક્રિકેટ ગિલ્લી-દંડા છોડી બેઝબોલ માટે બાધે

ગોટ-પિટ ગોટપિટ કરતા જો મોટેલ પર બેઠા માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

9.4.08

જાતિવાદ પર વાક્ યુધ્ધમાં જોડાવ.

મિત્રો,

છેલ્લા કેટલાય દિવસથી રવીશજીનાં कस्बा માં અને અવિનાશજીનાં मोहल्ला માં જાતીવાદના વિષય પર ચર્ચાએ ખુબ જોર પકળ્યુ છે, ઘણા લેખ પણ પ્રકાશીત થયા છે, આ બાબતે ઘણો વાદ-વિવાદ પણ થયો છે, પણ સાથે ખુબ પરિસંવાદ પણ થયો છે. રવીશજી અને અવિનાશજી તરફથી कस्बा અને मोहल्ला માં ચર્ચા કરવા આમંત્રીત કરું છુ, ત્યાં આપનું સ્વાગત છે. मोहल्ला માં હું એ પણ "मोदी के गुजरात में फैलता जाति का ज़हर" લખી બળતામાં ઘી નાંખવાનું કામ કર્યુ છે. તમે પણ તમારા વિચારો જણાવો તો પરિસંવાદ વધુ જોર પકડશે...

8.4.08

ધીરજ અને મધુશાલા એકજ માળાના મણકા...

હરિવંશરાય બચ્ચન, થોડા સમય પેહલા મારા માટે પણ મધુશાલાના રચયિતા થી વધારે કશુંજ ન હતા. એમની લખેલી મધુશાલાની પણ એકજ પંક્તી મનમાં ગુંજ્યા કરતી "મંદિર-મસ્જીદ સબકો લડાયે મેલ કરાયે મધુશાલા" ખુબ સરસ અથવા તો સાંજે 6:45 પછી મધુશાલાની વાટ પકડનાર લોકો "અલગ અલગ સબ પથ દિખલાતે પર મે યે દિખલાતા હું, રાહ પકડ તુ એક ચલાચલ પા જાયેગા મધુશાલા" એમની આ પંક્તીને બહાનું બનાવતા, બીજેથી તો પ્રોત્સાહન મળે તેમ નથી, કાંતો કોઈક હિન્દી સાહિત્ય પ્રેમી એમને માનભરી નજરથી દેખતો હશે અને વધુમાં અમિતાભ બચ્ચનના પિતા. બસ! ના ખુબજ સફળ વ્યક્તિત્વ, વિધ્વાન સાહિત્યકાર અને એનાથી વધારે એમના માટે કંઈ કેહવુ એટલે સુરજ ને દીવો ધરવા સમાન છે.
પરંતુ એમની સફળતા પાછળનું કારણ? માત્ર ધીરજ અને સંઘર્ષ. હરિવંશરાય બચ્ચન દરરોજ સવારે ચાલવા જાય, એમને અલગ અલગ શિલ્પ(પથ્થર)ભેગા કરવાનો ખુબ શોખ માટે શોખ પોષવા એ દરરોજ અલગ અલગ આકાર-રંગના શિલ્પ ઘરે લઈ આવે અને આજના સુપર સ્ટાર અને બીગ-બીના નામથી પ્રચલીત એવા એમના દિકરાને જગાડી એને નવા શિલ્પથી પરિચિત કરાવે. અમિતાભ બચ્ચનની સવારનો સુરજ આવી જ રીતે ઉગતો. પરંતુ એક સવારે અમિતાભ બચ્ચનને જગાડતા હરિવંશરાય બચ્ચનના હાથ ખાલી હતા, અમિતાભની ધીરજ જવાબ માંગવા માંડી, આજે કેમ પિતા ખાલી હાથે? હરિવંશરાય બચ્ચને પુત્ર ને કહ્યુ બેટા મદદ માટે બહાર આવને, બહાર જઈ જોતા એક વિશાળ શિલ્પ ઘર પાસે પડ્યુ હતુ. શિલ્પ એટલુ મોટુ હતુ કે એને અંદર લાવવા માટે ચાર માણસની જરૂર પડે એમ હતુ, અમિતાભે કહ્યુ અંદર લઈ જવા તો હું મદદ કરું પણ અહીયાં સુધી લાવવામાં કોણે મદદ કરી? હરિવંશરાય નો જવાબ હતો મારી ધીરજે, હુ છેલ્લા એક વર્ષથી દરરોજ આ શિલ્પને થોડુ-થોડુ ખસેડી ઘર તરફ લાવવા પ્રયત્ન કરતો હતો, તો આજે અહિં લાવી શક્યો. ધીરજ સાથે કરેલો સંઘર્ષ જીવનમાં ચોક્કસ સફળતા અપાવે છે.

અમિતાભના જીવનમાં પણ ઘણા ચઢાવ ઉતાર આવ્યા પરંતુ સંયમ ગુમાવ્યા વિના ધીરજ સાથે કરેલા સંઘર્ષે આજે અમિતાભને સફળતાના શીખરે બેસાડ્યા છે, કદાચ અમિતાભની સફળતા પાછળ પણ જીવનના આવાજ આદર્શ કારણભુત હશે?

3.4.08

ફરી મળે ન મળે...

આમ તો ધણીવાર સાંભળ્યુ છે કે દુનીયા ખુબ નાની છે પણ ત્યારેજ કે કોઈ સ્વજનની મુલાકાત અનાયાસે થઈ જાય, નહીંતો મારા ઘાણા સ્વજનો, મિત્રો, જેઓ વિદેશમાં છે જેમની ખુબ જ ખોટ અનુભવાય છે ત્યારે લાગે છે કે દુનિયા સાચે જ મોટી છે, વિદેશમાં રેહતા તમામને વતનની યાદોને તાજી કરવા એક ગઝલ...



નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે,
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે,
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે,
ભરી લો આંખમાં રસ્તાઓ,બારીઓ,ભીંતો,પછી આ શહેર,આ ગલીઓ આ ઘર મળે ન મળે,
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં, પછી કોઈને કોઈની કબર મળે ન મળે,
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં, ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે,
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે,

પોતાનુ માદરે વતન છોડવાના દર્દે આદિલ મંસુરીને આ ગઝલ ની રચના કરવા મજબુર કર્યા હતા.જ્યારે એમણે પોતાનું વતન અમદાવાદ છોડવું પડેલું ત્યારે વતનની ભીની માટીની સુવાસ, મીઠા સ્મરણ અને વતન છોડવાની તીવ્ર વેદના એટલે ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,’ ગઝલ!! બર્મિંગહામનાં એક મુશાયરામાં જ્યારે એમણે ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,’ ગઝલ રજુ કરેલી ત્યારે કાર્યક્રમને અંતે એક બહેને આવીને એમને કહેલું, ‘આદિલભાઇ, આ કાવ્ય સાંભળીને હું રડી પડી.’ ત્યારે અત્યંત સહજતાથી એમણે કહેલું કે ‘બહેન, મેં એ રડતા રડતા જ લખેલું!’

1.4.08

ગુંડારાજના અંતની શરૂઆત

મ.સ.યુ. (મહારાજા સયાજીરાવ યુનીવર્સીટી) નામ સાંભળતા જ કેટલાય ચેહરા પર સ્મીત પ્રસરી જતુ હશે, કેટલીય આંખોની કીનારી ભીની થઈ જતી હશે, કેટલાય પોતાની સફળતાની દુહાઈ દેતા જશ મ.સ.યુ. ને આપતા હશે અને કેટલાય એવા હશે જે પોતાની નીષ્ફળતાનુ ઠીકરુ પણ મ.સ.યુ. ના માથે ફોળતા હશે. આજેય ઘણા પરીવારો એવા છે જેની પાંચમી પેઢી પણ મ.સ.યુ.ના વિધાર્થી જીવનને વાગોળે છે. મ.સ.યુ.નો ઈતિહાસ જ એની ભવ્યતાની સાક્ષી પુરે છે પરંતુ એવા ઘણા બનાવો છે જે મ.સ.યુ.ની ભવ્યતાને ખંડીત કરે છે, એવા બનાવો જે મ.સ.યુ.ની શ્ર્વેત છબી પર કલંક સમા છે.

એક સમય હતો જ્યારે મ.સ.યુ.ના વિધાર્થી નેતાને એક આદરથી જોવામાં આવતા, મ.સ.યુ.એ ઘણા નેતા આપ્યા છે એમાનો એક કોકો(પ્રકાશ ભ્રહ્મભટ્ટ્)જેમણે મ.સ.યુ.ના વિધાર્થી નેતા તરીકે નામ દીપાવ્યુ છે, મ.સ.યુ.નો વી.પી. રહેલ એક વિધાર્થી જેણે આગળ જતા વડોદરાના રાજવી રણજીતસિંહ ગાયકવાડને હરાવી સાંસદ તરીકે ચુંટાયા, એટલુ જ નહીં કોકો જેટલી મોટી રેલી કાઢવી આજદીન સુધી કોઈ પણ નેતાઓ ના પહોંચની બહારની વાત રહી છે, ધ્રુવના તારાની જેમ આકાશમાં ચમકતુ નામ નરેન્દ્ર તિવારીનું છે જેમણે પોતાની સ્વચ્છ છબીના કારણે મ.સ.યુ.માં સૌથી વધુ વખત ચુંટાયાનો રેકોર્ડ કર્યો છે.

સમય જતા સજ્જનતા પણ વિસરી ગઈ મ.સ.યુ.માં રાજકારણ એવુ વકર્યુ કે ખુન પણ થયુ, પ્રોફેસરને વિધાર્થીઓએ ઘેરીને જાહેરમાં માર માર્યો, વિધાર્થીનીઓની મશ્કરી અને એને પણ શરમાવે તેમ વિધાર્થી નેતાઓના સેક્સકાંડ પ્રકાશમાં આવ્યા. લોકશાહીને નીવે મુકી વિરોધનો દૌર શરૂ થયો, તોડ-ફોડ, મારા-મારી વગેરે..મારા સ્મરણમાં છે કે વી.સી. ને રજુઆત કરવા ગયેલા નેતાએ એવી રીતે રજુઆત કરી કે ફાકી થી લતપત મોઢામાંથી ઉડતા થુંક ના કારણે વી.સી. રજુઆત સાંભળ્યા વગર જ જતા રહયા હતા.

હવે બસ થયુ, મ.સ.યુ. મેનેજમેન્ટે આવા તત્વોને ડામવા સરસ પગલા ભરેલ છે, "સાંપ ભી મર જયેગા ઔર લાઠી ભી નહી ટુટેંગી" એક વર્ષતો ચુંટણી જ ના થઈ, જેથી નેતાઓની દુકાનો બંધ થઈ ગઈ. બીજા વર્ષે ખુબ જ મહત્વની વી.પી. ની બેઠક મહિલા અનામત કરી જેથી નેતાઓની અડધી તાકાત ઓછી થઈ ગઈ અને પુજા કામથ જેવી વિધાર્થીની નેતા મળી અને આ વર્ષથી નવો કયદો અમલમાં મુકાશે જે વિધાર્થીની એ.ટી.કે.ટી. હશે એ સી.આર. થી લઈ વી.પી. સુધી કોઇ પણ બેઠક પર પ્રતિનિધિત્વ નહી કરી શકે, મોટે ભાગના નેતાઓનું રાજકારણ પુરુ થયુ, એટલે હવે ગુંડારાજ ખતમ થયુ સમજો, પરંતુ આમ રૂપેશ પ્રજાપતી, શક્તિ, પુજા કામથ જેવા નેતાઓ અપવાદ છે જેઓને આજે પણ માનભરી નજરથી જોવાય છે.

હજી શું કરવુ જોઈએ જેથી વિધાર્થીઓ નેતાઓ માટે ગર્વ લઈ શકે અને મ.સ.યુ.ને સારા નેતા મળે ???

24.3.08

ભારતીય હોકીઃ ચક દે! કબીર ખાન


(રવીવાર સારો રહ્યો એ માટે સોની ટીવીનો આભાર, ઘણા સમયથી ચક દે! ઈન્ડીયા જોવુ હતુ ઘરે બેઠા જોવા મળ્યુ. ઝકાસ મુવી બનાવ્યુ છે, ચક દે! ટીમ ને અભિનંદન.)

ભારતીય હોકી ટીમને પણ એક કબીર ખાનની જરૂર છે, ભારતની રાષ્ટ્રીય રમતનો દરજ્જો મેળવેલ હોકી આવનાર ઓગષ્ટ મહીનામા યોજાનાર ઓલોમ્પીક માંથી ડીસક્વોલીફાઈડ થઈ ગઈ એ ખુબજ દુઃખદ વાત છે, પરંતુ એનાથી દુઃખદ વાત ઘણા ભારતીયો આનાથી પરિચીત નથી. આજ કાલ ભારતમા વધતી જતી ક્રિકેટની લોકપ્રીયતા અને હોકીની થતી અવગણના જોતા તો એમજ લાગે છે કે આવનાર દિવસો મા ક્રિકેટને રાષ્ટ્રીય રમતનો દરજ્જો મળી જશે, મારે ક્રિકેટને લઈને કઈ વિરોધ નથી પરંતુ હોકીને માટે પ્રેમ ચોક્કસ છે, ભારતમા ક્રિકેટરોને જેટલુ માન સમ્માન મળે છે એનાથી અડધુ પણ હોકીના ખેલાડીઓ ને નથી મળતુ, ક્રિકેટરોને માન મળે તેઓ લાયક પણ છે, પરંતુ હોકીના ખેલાડીઓ સાથે થતુ અડખામણું ર્વતન આંખમા કણની જેમ ખુચે છે, ભારતમા હોકીના ગ્રાઊન્ડની કમી, ખેલાડીઓને મળવા પાત્ર સુવિધાઓની કમી, ક્રિકેટ ટીમ જીતીને આવે તો લાખો રૂપિયાની લ્હાણી અને હોકી ટીમ ને ?

ભારતમા ક્રિકેટની લોકપ્રીયતા એ જનતાનો વિષય છે, હોકી જોવી ના પણ ગમે. પરંતુ સરકાર તો પોતાની જવાબદારીથી મોઢુ ના ફેરવી શકેને ? ક્રિકેટની સામાન્ય બાબત પણ સરકારની ચિંતાનો વિષય બની જાય છે અને હોકી ઓલોમ્પીક માંથી ડીસક્વોલીફાઈડ થઈ તો પણ એના કારણો તપાસવની કોઈને દરકાર છે ? ઊપરથી નેતાઓ રાજકીય આક્ષેપબાજી માંથી બહાર નથી આવતા, ગીલે રાજીનામુ આપવુ જોઈએ, ખેલ મંત્રી જવાબદાર છે...ભારતની રાષ્ટ્રીય રમતની લાજ બચાવવી હશે તો કાંતો એક ખેલપ્રીય સરકારની જરૂર છે કાંતો એક કબીર ખાનની, મળ્યું તો ચક દે! ઈન્ડીયા, નહીતો હોકી ને અંધકારમાં ધકેલાતી બચાવવી મુશકેલ છે.

23.3.08

માચૅ એન્ડીંગની મથામણ

જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે, તેમ તેમ દરેક વગૅના લોકોના ચેહરા પર ચિંતાની રેખાઓ ઉપસતી જાય છે જયા જુવો ત્યાં એકજ વાત સાંભળવા મળે છે જવા દેને ભાઈ માચૅ એન્ડીંગ ચાલે છે ! કોઈને અમસ્તુ પુછીયે કેમ ભાઈ દેખાતો નથી,જવાબ મળે માચૅ એન્ડીંગ ચાલે છે થોડો કામમા વ્યસત છુ, અને ભુલે ચુકે કોઈ શેર બજાર સાથે સંકળાયેલો વ્યક્તિ મળે અને ભુલ થી પુછઈ જાય બજાર ના શું હાલ છે તો વિલા મોઢે જવાબ મળે આ માચૅ એન્ડીંગે બજારની હાલત બગાડી નાખી છે. માચૅ એન્ડીંગની લોકપ્રીયતા અને લોકોના ચેહરા પર દેખાતી ચીંતાએ જ મને આ લખવા મજબુર કયૉ છે...

નાણાંકીય વષૅ પુરુ થવાનુ હોય માચૅ એન્ડીંગની સૌથી મોટી ચીંતા નાણા પ્રધાનને બજેટ માટે હોય, સરકારી કચેરીઓમાં ગ્રાંટ પાછી જમા ન થવાની ચીંતા, બેંકમાં લોન ના મળે અને લીધેલી ભરપાઈ કરવી પડે, વિધાથીને પરીક્ષાની ચીંતા, વ્યાપારી વાષીક લેવડ દેવડ પુરી કરવા ઓટલા તોડે, સરકારી ઈજારદરો ને કામ પુરુ કરી પેમેન્ટ લેવાની ચીંતા, મલેતુજારોને ઈનકમ ટેક્સ સરભર કરવાની ચીંતા અને મધ્યમ વૅગીય પરીવાર ને દેવું ચુકવવાની ચીંતા આ બધી બાબત માનવામાં આવે પરંતુ માચૅ એન્ડીગના ધસમસતા પ્રવાહમાં ઘણીં વાતો એવી તણાઈ આવે છે કે જે માનવામાંજ ના આવે.

ખરેખર માચૅ એન્ડીગ થોડા સમય માટે ખચૅ ટાળવાનું શ્રેષ્ટ સાધન છે મોટે ભાગના પરીવારો મા માંગણીઓ પર લગામ લગાવવા માચૅ એન્ડીગ નો સહારો લેવાતો હશે, દીકરાને કપડા જોઈયે કે પત્નીને મેકપ બોક્ષ, માચૅ એન્ડીગને ઢાલ બનાવી દેવાય. ઘણા પરીવારોમાં દીકરીના લગ્ન પણ માચૅ પછી લેવાતા હોય છે. હમણાં સલુનમા બેઠો હતો સલુનના માલીક સાજીદ ભાઈએ એમના માનીતા ગ્રાહકને ક્હયું ભાઈ તમારુ મંગાવેલું સ્પ્રે આવી ગયુ છે લઈ જજો સામે જવાબ મળ્યો હમણા પૈસા નથી પછી રાખોને, રોજીંદા ગ્રાહક ને ખુબ ઈજ્જત બક્ષી પૈસા ક્યાં માંગ્યા છે સાહેબ લઈ જાવને , તો ગ્રાહકે એવી વાત કરી કે બેઠેલા તમામ આશ્રચ્યૅ ચકીત થઈ ગયા, હાલમાં થોભી જાને માચૅ એન્ડીગ છે. જો માચૅ મહીનામા આટલી તકલીફો હોય તો બહુ થયુ માચૅ એન્ડીગ જલદી એપ્રીલ આવે, બધાને એપ્રીલ ફુલ બનાવી માચૅ એન્ડીગની ચીંતાને જાકરો આપીયે.

મને નથી ખબર કે માચૅ એન્ડીગ કોને ક્યાં અસર પહોચાડે છે પણ માચૅ એન્ડીંગથી પીડાતા તમામ લોકોને આ અપૅણ.

17.3.08

લડાઇઃ અસ્મીતાની કે અસ્તીત્વની ?

અત્યાર સુધી નરેન્દ્ર મોદી આમા ફ્સાયેલા હતા અને હવે રાજ ઠાકરે ફસાયા છે, "મને ગુજરાતનું ઘેલુ લાગ્યુ છે, ગુજરાત માટે મારી જાત ઘસવા આવ્યો છું", આવી વાતો બહુ થઇ. ગુજરાતમાં પાછલા દિવસોમા જે કંઇ પણ બન્યુ તે દેશ-દુનીયાએ જોયુ-જાણ્યુ, એની ખુબ આલોચના પણ થઇ, ગુજરાત બદનામ પણ થયુ, પરંતુ આને ગુજરાતની અસ્મીતા બચાવવાનું સુંદર નામ આપી દેવામા આવ્યુ. જનતા નરેન્દ્ર મોદી સાથે છે માટે કંઇ પણ કહેવુ અયોગ્ય લાગશે. હવે આમ જ કંઇ રાજ ઠાકરે મહારાષ્ટૂની અસ્મીતા બચાવવા કરી રહ્યા છે, પોતાનુ રાજકીય અસ્તીત્વ ટકાવી રાખવા ઉત્તર ભારતીયો ને નીશાન બનાવાયા છે. રાજ ઠાકરેએ જેની આંગળી પકડી રાજકાણમાં પગ મુક્યો છે એમની માનસીક પરીસ્થીતી પણ આવા જ વિચારોથી ઘેરાયેલી છે. બાલ ઠાકરેએ પણ ભુતકાળમાં પોતાનુ રાજકીય કદ વધારવા આવા જ પ્રયાશો કરેલા, આ લડાઇ અસ્મીતા બચાવવા કરતા અસ્તીત્વ બચાવવાની વધારે લાગે છે. રાજકારણમાં આવી વાતોને સ્થાન નથી પરંતુ સામાજીક જીવનમા જરૂર છે.
મારા એક મિત્ર છે, આમતો એ બીહારી છે પરંતુ ઘણા લાંબા સમયથી ગુજરાતમા વસવાટ કરે છે, ગુજરાતના રમખાણોને લઇને એ હંમેશા લઘુમતી કોમ ની વિરુધ્ધ રેહતા, નરેન્દ્ર મોદી પર લગાવાયેલા આરોપોને નજરઅંદાજ કરીને હંમેશા મોદી ના પક્ષ મા રહેતા, પરંતુ હાલમાં જ એમને પોતે ભારતીય હોવાનો એહસાસ થયો. મહારાષ્ટૂનાં પગલે એમના મનમા જે ઝેર હતુ એ નીકળી ગયુ, ગુજરાતમાં બનેલી ઘટનાઓ ની નીંદા પણ કરવા લાગ્યા, ભલે એ ઉત્તર ભારતીયોની સહાનુભુતી રૂપે હોય, પરંતુ એ પણ આવા જ રાજકીય વિચારોથી ઘવાયેલા હતા માટે જ ગુજરાતી કે બીહારી મટી ભારતીય થયા છે.
અસ્મીતાનાં નામે અસ્તીત્વની લડાઇ તો રાજકારણીઓ નું હથીયાર છે પરંતુ એનો ભોગ હંમેશા સામાન્ય લોકો બનતા હોય છે, રાજ્યોની અસ્મીતા બચાવવાના ચક્કરમાં ભારતની અસ્મીતાનુ શું ? ભારત "વિવિધતામાં એક્તા" થીજ સુંદર લાગે છે. કોઈ વ્યકતી વિશેષનાં અસ્તીત્વ કરતા ભારતની અસ્મીતાનું વધું મહત્વ છે. પ્રાંતવાદ કે જાતીવાદ કોઈ એક વ્યક્તિ વિશેષને જ ફાયદા કારક હોય છે, કયારેય કોઈ પ્રાંત કે જાતી ને નહી. ભલે જનતાએ નરેન્દ્ર મોદીમાં એક કુશળ નેતૃત્વ જોઈ ચુંટણીમાં સાથ આપ્યો હોય પરંતુ ગુજરાત કે મહારાષ્ટૂમાં પોતાનું રાજકીય અસ્તીત્વ બચાવવા માટે અસ્મીતાનો ચોલો ઓઢેલ દંભી ચેહરાને સાથ ના આપવો જોઈએ. આમ જો પ્રાંતવાદના રોગ થી બચવુ હશે તો દરેક નાગરીકે ભારતીય બનવુ પડશે.