1.4.08

ગુંડારાજના અંતની શરૂઆત

મ.સ.યુ. (મહારાજા સયાજીરાવ યુનીવર્સીટી) નામ સાંભળતા જ કેટલાય ચેહરા પર સ્મીત પ્રસરી જતુ હશે, કેટલીય આંખોની કીનારી ભીની થઈ જતી હશે, કેટલાય પોતાની સફળતાની દુહાઈ દેતા જશ મ.સ.યુ. ને આપતા હશે અને કેટલાય એવા હશે જે પોતાની નીષ્ફળતાનુ ઠીકરુ પણ મ.સ.યુ. ના માથે ફોળતા હશે. આજેય ઘણા પરીવારો એવા છે જેની પાંચમી પેઢી પણ મ.સ.યુ.ના વિધાર્થી જીવનને વાગોળે છે. મ.સ.યુ.નો ઈતિહાસ જ એની ભવ્યતાની સાક્ષી પુરે છે પરંતુ એવા ઘણા બનાવો છે જે મ.સ.યુ.ની ભવ્યતાને ખંડીત કરે છે, એવા બનાવો જે મ.સ.યુ.ની શ્ર્વેત છબી પર કલંક સમા છે.

એક સમય હતો જ્યારે મ.સ.યુ.ના વિધાર્થી નેતાને એક આદરથી જોવામાં આવતા, મ.સ.યુ.એ ઘણા નેતા આપ્યા છે એમાનો એક કોકો(પ્રકાશ ભ્રહ્મભટ્ટ્)જેમણે મ.સ.યુ.ના વિધાર્થી નેતા તરીકે નામ દીપાવ્યુ છે, મ.સ.યુ.નો વી.પી. રહેલ એક વિધાર્થી જેણે આગળ જતા વડોદરાના રાજવી રણજીતસિંહ ગાયકવાડને હરાવી સાંસદ તરીકે ચુંટાયા, એટલુ જ નહીં કોકો જેટલી મોટી રેલી કાઢવી આજદીન સુધી કોઈ પણ નેતાઓ ના પહોંચની બહારની વાત રહી છે, ધ્રુવના તારાની જેમ આકાશમાં ચમકતુ નામ નરેન્દ્ર તિવારીનું છે જેમણે પોતાની સ્વચ્છ છબીના કારણે મ.સ.યુ.માં સૌથી વધુ વખત ચુંટાયાનો રેકોર્ડ કર્યો છે.

સમય જતા સજ્જનતા પણ વિસરી ગઈ મ.સ.યુ.માં રાજકારણ એવુ વકર્યુ કે ખુન પણ થયુ, પ્રોફેસરને વિધાર્થીઓએ ઘેરીને જાહેરમાં માર માર્યો, વિધાર્થીનીઓની મશ્કરી અને એને પણ શરમાવે તેમ વિધાર્થી નેતાઓના સેક્સકાંડ પ્રકાશમાં આવ્યા. લોકશાહીને નીવે મુકી વિરોધનો દૌર શરૂ થયો, તોડ-ફોડ, મારા-મારી વગેરે..મારા સ્મરણમાં છે કે વી.સી. ને રજુઆત કરવા ગયેલા નેતાએ એવી રીતે રજુઆત કરી કે ફાકી થી લતપત મોઢામાંથી ઉડતા થુંક ના કારણે વી.સી. રજુઆત સાંભળ્યા વગર જ જતા રહયા હતા.

હવે બસ થયુ, મ.સ.યુ. મેનેજમેન્ટે આવા તત્વોને ડામવા સરસ પગલા ભરેલ છે, "સાંપ ભી મર જયેગા ઔર લાઠી ભી નહી ટુટેંગી" એક વર્ષતો ચુંટણી જ ના થઈ, જેથી નેતાઓની દુકાનો બંધ થઈ ગઈ. બીજા વર્ષે ખુબ જ મહત્વની વી.પી. ની બેઠક મહિલા અનામત કરી જેથી નેતાઓની અડધી તાકાત ઓછી થઈ ગઈ અને પુજા કામથ જેવી વિધાર્થીની નેતા મળી અને આ વર્ષથી નવો કયદો અમલમાં મુકાશે જે વિધાર્થીની એ.ટી.કે.ટી. હશે એ સી.આર. થી લઈ વી.પી. સુધી કોઇ પણ બેઠક પર પ્રતિનિધિત્વ નહી કરી શકે, મોટે ભાગના નેતાઓનું રાજકારણ પુરુ થયુ, એટલે હવે ગુંડારાજ ખતમ થયુ સમજો, પરંતુ આમ રૂપેશ પ્રજાપતી, શક્તિ, પુજા કામથ જેવા નેતાઓ અપવાદ છે જેઓને આજે પણ માનભરી નજરથી જોવાય છે.

હજી શું કરવુ જોઈએ જેથી વિધાર્થીઓ નેતાઓ માટે ગર્વ લઈ શકે અને મ.સ.યુ.ને સારા નેતા મળે ???

2 comments:

Unknown said...

I was at MSU 4 a while like few months..Gundagiri to na kari pan Jovani to bau maja avi ne voting ma pan babal karvani pan maja aveli!!

Prabin Barot said...

સપન
અરે! આવી કેવી વાત?? ગુંડાગીરી કરી ના તો સારૂ થયુ પણ, ગુંડાગીરી જોવાની મજા લીધી?? ભાઈ એતો જેની ગોદડી જાયને એને જ ટાઢ વાય ઠંડીલાગે)...મને એનો આજે પણ અફસોસ છે કે હુ પણ જોતો જ રહયો...કંઈ કરી ના શકયો...