24.3.08

ભારતીય હોકીઃ ચક દે! કબીર ખાન


(રવીવાર સારો રહ્યો એ માટે સોની ટીવીનો આભાર, ઘણા સમયથી ચક દે! ઈન્ડીયા જોવુ હતુ ઘરે બેઠા જોવા મળ્યુ. ઝકાસ મુવી બનાવ્યુ છે, ચક દે! ટીમ ને અભિનંદન.)

ભારતીય હોકી ટીમને પણ એક કબીર ખાનની જરૂર છે, ભારતની રાષ્ટ્રીય રમતનો દરજ્જો મેળવેલ હોકી આવનાર ઓગષ્ટ મહીનામા યોજાનાર ઓલોમ્પીક માંથી ડીસક્વોલીફાઈડ થઈ ગઈ એ ખુબજ દુઃખદ વાત છે, પરંતુ એનાથી દુઃખદ વાત ઘણા ભારતીયો આનાથી પરિચીત નથી. આજ કાલ ભારતમા વધતી જતી ક્રિકેટની લોકપ્રીયતા અને હોકીની થતી અવગણના જોતા તો એમજ લાગે છે કે આવનાર દિવસો મા ક્રિકેટને રાષ્ટ્રીય રમતનો દરજ્જો મળી જશે, મારે ક્રિકેટને લઈને કઈ વિરોધ નથી પરંતુ હોકીને માટે પ્રેમ ચોક્કસ છે, ભારતમા ક્રિકેટરોને જેટલુ માન સમ્માન મળે છે એનાથી અડધુ પણ હોકીના ખેલાડીઓ ને નથી મળતુ, ક્રિકેટરોને માન મળે તેઓ લાયક પણ છે, પરંતુ હોકીના ખેલાડીઓ સાથે થતુ અડખામણું ર્વતન આંખમા કણની જેમ ખુચે છે, ભારતમા હોકીના ગ્રાઊન્ડની કમી, ખેલાડીઓને મળવા પાત્ર સુવિધાઓની કમી, ક્રિકેટ ટીમ જીતીને આવે તો લાખો રૂપિયાની લ્હાણી અને હોકી ટીમ ને ?

ભારતમા ક્રિકેટની લોકપ્રીયતા એ જનતાનો વિષય છે, હોકી જોવી ના પણ ગમે. પરંતુ સરકાર તો પોતાની જવાબદારીથી મોઢુ ના ફેરવી શકેને ? ક્રિકેટની સામાન્ય બાબત પણ સરકારની ચિંતાનો વિષય બની જાય છે અને હોકી ઓલોમ્પીક માંથી ડીસક્વોલીફાઈડ થઈ તો પણ એના કારણો તપાસવની કોઈને દરકાર છે ? ઊપરથી નેતાઓ રાજકીય આક્ષેપબાજી માંથી બહાર નથી આવતા, ગીલે રાજીનામુ આપવુ જોઈએ, ખેલ મંત્રી જવાબદાર છે...ભારતની રાષ્ટ્રીય રમતની લાજ બચાવવી હશે તો કાંતો એક ખેલપ્રીય સરકારની જરૂર છે કાંતો એક કબીર ખાનની, મળ્યું તો ચક દે! ઈન્ડીયા, નહીતો હોકી ને અંધકારમાં ધકેલાતી બચાવવી મુશકેલ છે.

23.3.08

માચૅ એન્ડીંગની મથામણ

જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે, તેમ તેમ દરેક વગૅના લોકોના ચેહરા પર ચિંતાની રેખાઓ ઉપસતી જાય છે જયા જુવો ત્યાં એકજ વાત સાંભળવા મળે છે જવા દેને ભાઈ માચૅ એન્ડીંગ ચાલે છે ! કોઈને અમસ્તુ પુછીયે કેમ ભાઈ દેખાતો નથી,જવાબ મળે માચૅ એન્ડીંગ ચાલે છે થોડો કામમા વ્યસત છુ, અને ભુલે ચુકે કોઈ શેર બજાર સાથે સંકળાયેલો વ્યક્તિ મળે અને ભુલ થી પુછઈ જાય બજાર ના શું હાલ છે તો વિલા મોઢે જવાબ મળે આ માચૅ એન્ડીંગે બજારની હાલત બગાડી નાખી છે. માચૅ એન્ડીંગની લોકપ્રીયતા અને લોકોના ચેહરા પર દેખાતી ચીંતાએ જ મને આ લખવા મજબુર કયૉ છે...

નાણાંકીય વષૅ પુરુ થવાનુ હોય માચૅ એન્ડીંગની સૌથી મોટી ચીંતા નાણા પ્રધાનને બજેટ માટે હોય, સરકારી કચેરીઓમાં ગ્રાંટ પાછી જમા ન થવાની ચીંતા, બેંકમાં લોન ના મળે અને લીધેલી ભરપાઈ કરવી પડે, વિધાથીને પરીક્ષાની ચીંતા, વ્યાપારી વાષીક લેવડ દેવડ પુરી કરવા ઓટલા તોડે, સરકારી ઈજારદરો ને કામ પુરુ કરી પેમેન્ટ લેવાની ચીંતા, મલેતુજારોને ઈનકમ ટેક્સ સરભર કરવાની ચીંતા અને મધ્યમ વૅગીય પરીવાર ને દેવું ચુકવવાની ચીંતા આ બધી બાબત માનવામાં આવે પરંતુ માચૅ એન્ડીગના ધસમસતા પ્રવાહમાં ઘણીં વાતો એવી તણાઈ આવે છે કે જે માનવામાંજ ના આવે.

ખરેખર માચૅ એન્ડીગ થોડા સમય માટે ખચૅ ટાળવાનું શ્રેષ્ટ સાધન છે મોટે ભાગના પરીવારો મા માંગણીઓ પર લગામ લગાવવા માચૅ એન્ડીગ નો સહારો લેવાતો હશે, દીકરાને કપડા જોઈયે કે પત્નીને મેકપ બોક્ષ, માચૅ એન્ડીગને ઢાલ બનાવી દેવાય. ઘણા પરીવારોમાં દીકરીના લગ્ન પણ માચૅ પછી લેવાતા હોય છે. હમણાં સલુનમા બેઠો હતો સલુનના માલીક સાજીદ ભાઈએ એમના માનીતા ગ્રાહકને ક્હયું ભાઈ તમારુ મંગાવેલું સ્પ્રે આવી ગયુ છે લઈ જજો સામે જવાબ મળ્યો હમણા પૈસા નથી પછી રાખોને, રોજીંદા ગ્રાહક ને ખુબ ઈજ્જત બક્ષી પૈસા ક્યાં માંગ્યા છે સાહેબ લઈ જાવને , તો ગ્રાહકે એવી વાત કરી કે બેઠેલા તમામ આશ્રચ્યૅ ચકીત થઈ ગયા, હાલમાં થોભી જાને માચૅ એન્ડીગ છે. જો માચૅ મહીનામા આટલી તકલીફો હોય તો બહુ થયુ માચૅ એન્ડીગ જલદી એપ્રીલ આવે, બધાને એપ્રીલ ફુલ બનાવી માચૅ એન્ડીગની ચીંતાને જાકરો આપીયે.

મને નથી ખબર કે માચૅ એન્ડીગ કોને ક્યાં અસર પહોચાડે છે પણ માચૅ એન્ડીંગથી પીડાતા તમામ લોકોને આ અપૅણ.

17.3.08

લડાઇઃ અસ્મીતાની કે અસ્તીત્વની ?

અત્યાર સુધી નરેન્દ્ર મોદી આમા ફ્સાયેલા હતા અને હવે રાજ ઠાકરે ફસાયા છે, "મને ગુજરાતનું ઘેલુ લાગ્યુ છે, ગુજરાત માટે મારી જાત ઘસવા આવ્યો છું", આવી વાતો બહુ થઇ. ગુજરાતમાં પાછલા દિવસોમા જે કંઇ પણ બન્યુ તે દેશ-દુનીયાએ જોયુ-જાણ્યુ, એની ખુબ આલોચના પણ થઇ, ગુજરાત બદનામ પણ થયુ, પરંતુ આને ગુજરાતની અસ્મીતા બચાવવાનું સુંદર નામ આપી દેવામા આવ્યુ. જનતા નરેન્દ્ર મોદી સાથે છે માટે કંઇ પણ કહેવુ અયોગ્ય લાગશે. હવે આમ જ કંઇ રાજ ઠાકરે મહારાષ્ટૂની અસ્મીતા બચાવવા કરી રહ્યા છે, પોતાનુ રાજકીય અસ્તીત્વ ટકાવી રાખવા ઉત્તર ભારતીયો ને નીશાન બનાવાયા છે. રાજ ઠાકરેએ જેની આંગળી પકડી રાજકાણમાં પગ મુક્યો છે એમની માનસીક પરીસ્થીતી પણ આવા જ વિચારોથી ઘેરાયેલી છે. બાલ ઠાકરેએ પણ ભુતકાળમાં પોતાનુ રાજકીય કદ વધારવા આવા જ પ્રયાશો કરેલા, આ લડાઇ અસ્મીતા બચાવવા કરતા અસ્તીત્વ બચાવવાની વધારે લાગે છે. રાજકારણમાં આવી વાતોને સ્થાન નથી પરંતુ સામાજીક જીવનમા જરૂર છે.
મારા એક મિત્ર છે, આમતો એ બીહારી છે પરંતુ ઘણા લાંબા સમયથી ગુજરાતમા વસવાટ કરે છે, ગુજરાતના રમખાણોને લઇને એ હંમેશા લઘુમતી કોમ ની વિરુધ્ધ રેહતા, નરેન્દ્ર મોદી પર લગાવાયેલા આરોપોને નજરઅંદાજ કરીને હંમેશા મોદી ના પક્ષ મા રહેતા, પરંતુ હાલમાં જ એમને પોતે ભારતીય હોવાનો એહસાસ થયો. મહારાષ્ટૂનાં પગલે એમના મનમા જે ઝેર હતુ એ નીકળી ગયુ, ગુજરાતમાં બનેલી ઘટનાઓ ની નીંદા પણ કરવા લાગ્યા, ભલે એ ઉત્તર ભારતીયોની સહાનુભુતી રૂપે હોય, પરંતુ એ પણ આવા જ રાજકીય વિચારોથી ઘવાયેલા હતા માટે જ ગુજરાતી કે બીહારી મટી ભારતીય થયા છે.
અસ્મીતાનાં નામે અસ્તીત્વની લડાઇ તો રાજકારણીઓ નું હથીયાર છે પરંતુ એનો ભોગ હંમેશા સામાન્ય લોકો બનતા હોય છે, રાજ્યોની અસ્મીતા બચાવવાના ચક્કરમાં ભારતની અસ્મીતાનુ શું ? ભારત "વિવિધતામાં એક્તા" થીજ સુંદર લાગે છે. કોઈ વ્યકતી વિશેષનાં અસ્તીત્વ કરતા ભારતની અસ્મીતાનું વધું મહત્વ છે. પ્રાંતવાદ કે જાતીવાદ કોઈ એક વ્યક્તિ વિશેષને જ ફાયદા કારક હોય છે, કયારેય કોઈ પ્રાંત કે જાતી ને નહી. ભલે જનતાએ નરેન્દ્ર મોદીમાં એક કુશળ નેતૃત્વ જોઈ ચુંટણીમાં સાથ આપ્યો હોય પરંતુ ગુજરાત કે મહારાષ્ટૂમાં પોતાનું રાજકીય અસ્તીત્વ બચાવવા માટે અસ્મીતાનો ચોલો ઓઢેલ દંભી ચેહરાને સાથ ના આપવો જોઈએ. આમ જો પ્રાંતવાદના રોગ થી બચવુ હશે તો દરેક નાગરીકે ભારતીય બનવુ પડશે.